આગામી દિવસોમાં સાતમ-આઠમ, જન્માષ્ટમી તથા લોકમેળા સહિતના તહેવારો આવતા હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા યાર્ડમાં તહેવારો નિમિત્તે તા. 24 થી 28 ઓગસ્ટ સુધી રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે….
બાબતે માહિતી આપતાં યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે તા.24 ઓગષ્ટથી 28 ઓગસ્ટ સુધી વાંકાનેર યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે, જે સમય દરમિયાન યાર્ડના તમામ કામકાજ બંધ રહેશે, જેથી આ સમય દરમિયાન ખેડૂતોએ યાર્ડમાં પોતાનો માલ લાવવાનો રહેશે નહીં. આ સાથે જ રજાઓ બાદ તા. 29 ઓગસ્ટ ગુરુવારથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS