વૃદ્ધાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરી પરિજનોના સંપર્ક કરી તેમની સાથે મેળાપ કરાવ્યો…
વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતે રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા નિ:સહાય વૃદ્ધાને એલ્ડર હેલ્પલાઇન ટીમ દ્વારા મદદ પૂરી પાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું….
વાંકાનેર શહેરના ગ્રીનચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર રખડતું-ભટકતું જીવન જીવતા અમીનાબેન અલારખાભાઈ ફકીર (ઉ.વ. આશરે ૮૦) ગત શનિવારે રસ્તા પર પડી ગયા હતાં અને ધોમધખતા તાપમાં નિ:સહાય બની ગયા હતા. જેની જાણ મોરબી એલ્ડર હેલ્પલાઇનના રાજદીપભાઈ પરમારને થતાં તેઓ એલ્ડરલાઈનના સિનિયર અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સામાજીક કાર્યકર સતિષભાઈ તલસાણીયા સાથે તરત જ ઘટના સ્થળે દોડી જઇ,
પીડિત વૃદ્ધાને ૧૦૮ મારફત વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી બાદમાં સામાજીક કાર્યકર હસીનાબેન તથા શરીફાબેન શેખ સહિતનાઓ દ્વારા વૃદ્ધાના કુટુંબીજનોને શોધી, સંપર્ક કરી તાત્કાલિક વાંકાનેર બોલાવ્યા હતા. ત્યારબાદ રાજકોટ રાંદેડા વિસ્તાર ખાતે રહેતા પીડીત વૃદ્ધાના પુત્ર બાબુભાઇ અને તેમના કુટુંબીજનો વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આવીને અમીનાબેનને પોતાની સાથે લઈ જવા અને સારસંભાળ રાખવાની લેખિત ખાત્રી આપતા અમીનાબેનને તેના પુત્રને સોંપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પીડિત વૃદ્ધા છેલ્લા ઘણા મહિનાઓથી અને હાલ ધોમધખતા તડકામાં ખુલ્લામાં દયનિય હાલતમાં રહેતા હતા અને પરિવારજનો સાથે રહેવા પણ રાજી નહોતા પરંતુ. માં તે માં બીજા વગડા ના વા સૂત્રને સાર્થક કરી મોરબી એલ્ડર હેલ્પલાઇન ટીમનાં ઉત્તમ પ્રયાસ થી વૃદ્ધાને પરિવારનો આશરો મળી શક્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65