વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં આવેલ એક રિફ્રેક્ટરી કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 3.5 વર્ષીય માસુમ બાળકને સાપ કરડી જતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં આવેલ અરમાનભાઈ કડીવારના જેબીએસ રિફ્રેક્ટરી કારખાનામાં રહી કામ કરતાં મધ્યપ્રદેશના વતની રાહુલભાઇ મંગલસીંગ ડામોરના સાડા ત્રણ વર્ષનો પુત્ર ધર્મેશ કારખાનામાં સુતો હોય ત્યારે તેને સાપ કરડી જતાં તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર અર્થે રાજકોટ ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..