વાંકાનેર તાલુકાના અદેપર-પંચાસીયા રોડ પર આવેલ રાતોઆ નદી ખાતે કપડાં ધોવા માટે ગયેલ એક સગીરાનો પગ અચાનક લપસી જતાં પાણીમાં ગરકાવ થઇ જતાં ડુબી જવાથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અદેપર-પંચસીયા રોડ પર આવેલ રાતાઓ નદીએ કપડા ધોવા ગયેલ 17 વર્ષીય સગીરા ટીનાબેન રામુભાઈ બીલવા (રહે. અદેપર ગામની સીમમાં, તા. વાંકાનેર, મુળ રહે. દતીગામ, જી. ધાર, એમ.પી.) કપડાં ધોતી હોય ત્યારે અચાનક તેનો પગ લપસી જતા નદીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65