બઝમે રબ્બાની કમિટી-ચંદ્રપુર આયોજિત કોન્ફરન્સમાં બાંદાથી ખાસ ડો. સૈયદ મેહમુદ રબ્બાની સાહેબ પધારશે…
વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે બઝમે રબ્બાની કમિટી દ્વારા પવિત્ર ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે આવતીકાલ તા. 19 સપ્ટેમ્બર, ગુરૂવારે રાત્રીના નવ વાગ્યે આમદે સૈયદુલ મુરસલીન વ તહફ્ફુઝે નામુસે રીસાલત કોન્ફરન્સ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તરપ્રદેશના બાંદાથી ખાસ મુસ્લિમ ધર્મગુરૂ ડો. સૈયદ મેહમુદ રબ્બાની(M.A., Ph.D.) સાહેબ હાજરી આપશે, જે પોતાના અંદાજમાં તકરીર/બયાન ફરમાવશે, જેથી આ કોન્ફરન્સમાં હાજરી આપવા તમામ મુસ્લિમ બિરાદરોને બઝમે રબ્બાની કમિટી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે….