Monday, August 10, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સમથેરવા નજીકથી મળેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો : ચોરી કરવા આવેલા...

    વાંકાનેરના સમથેરવા નજીકથી મળેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો : ચોરી કરવા આવેલા યુવાનની મોરબીના છ શખ્સોએ મળી હત્યા કરી નાખી….!

    વાંકાનેરના સમથેરવા ગામની સીમમાંથી ચાર મહિના પહેલાં મળેલા અજાણ્યા પુરુષના મૃતદેહના કેસને ઉકેલવામાં મોરબી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. દિવસના સમયે ઘરમાં ચોરી કરવા આવેલા ઈસમને પકડી, ફાર્મ હાઉસમાં લઈ જઈને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારનાર 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ રૂ. ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૦૮-૦૪-૨૦૨૬ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સમથેરવા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી એક અજાણ્યા પુરુષનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે શરૂઆતમાં અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી, આસપાસના કારખાનાના શ્રમિકોને મૃતકનો ફોટો બતાવ્યો અને સીસીટીવી ફૂટેજ ચકાસ્યા. આ સઘન તપાસના આધારે 6 શકમંદોને એલસીબી કચેરીએ લાવીને યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવતા તેઓ ભાંગી પડ્યા હતા અને ગુનાની કબૂલાત કરી હતી…

    પોલીસ તપાસમાં ખૂલ્યા મુજબ, મૃતક અજાણ્યો પુરુષ આરોપી સંદીપ ધનજીભાઈ ઝાલરીયાના મકાનમાં દિવસના સમયે ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. તે જ સમયે આરોપી ઘરે હાજર હોવાથી તેણે ચોરને પકડી પાડ્યો હતો. યુવાનની તલાશી લેતા તેના ખિસ્સામાંથી આરોપીની કાર અને એક્ટિવાની ચાવીઓ મળી આવી હતી. આ બાબતે ભારે માથાકૂટ થયા બાદ, આરોપીએ તેના ડ્રાઇવર રાજેશ ડાભીને ઇનોવા કાર લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ અજાણ્યા પુરુષને બળજબરીથી કારમાં બેસાડી માથક નજીક આવેલા સંદીપના સોલાર ફાર્મમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર 6 આરોપીઓએ ભેગા મળીને યુવાનને પીવીસી (PVC) પાઇપથી ઢોર માર માર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજતાં, લાશને ઇનોવા કારમાં નાખીને વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલી અવાવરુ ઝાડીઓમાં ફેંકી દઈને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો….

    આ હત્યાના બનાવમાં પોલીસે આરોપી ૧). સંદીપ ધનજીભાઈ ઝાલરીયા (રહે. ઉમિયાનગર, શનાળા રોડ, મોરબી), ૨). એલીસ જસમતભાઈ ઉર્ફે જયંતીભાઈ ઝાલરીયા (રહે. લુંટાવદર, તા. મોરબી), ૩). દિવ્યેશ ગોવિંદભાઈ ઝાલરીયા (રહે. લુંટાવદર, તા. મોરબી), ૪). મુન્નો ઉર્ફે વરુણ રૈયાભાઈ ગોલતર (રહે. રફાળેશ્વર, મોરબી), ૫). રાજેશ રમેશ ડાભી (રહે. ભડિયાદ, તા. મોરબી) અને ૬). રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવ (મૂળ રહે. બિહાર)ની ધરપકડ કરી એક ઇનોવા કાર નં. GJ 36 L 9881 (કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦), 8 મોબાઈલ ફોન (કિંમત રૂ. ૧,૧૦,૦૦૦) સહિત કુલ મુદ્દામાલ રૂ. ૧૧,૧૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!