Wednesday, October 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં મેઘરાજાની પધરામણીથી ખેડૂતો ચિંતિત, પાછોતરા વરસાદથી ખેત પાકોમાં નુકસાની, મચ્છુ...

    વાંકાનેર પંથકમાં મેઘરાજાની પધરામણીથી ખેડૂતો ચિંતિત, પાછોતરા વરસાદથી ખેત પાકોમાં નુકસાની, મચ્છુ ડેમનો ઓવરફ્લો યથાવત….

    બપોરે બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સમગ્ર પંથકમાં એક કલાકમાં અડધા ઇંચથી વધારે વરસાદ….

    વાંકાનેર પંથકમાં આજરોજ સોમવારે બપોર બાદ અચાનક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે મ, જેમાં બપોર બાદ સમગ્ર પંથકમાં શરૂ થયેલ વરસાદ એક કલાકમાં સરેરાશ અડધા ઇંચ કરતા વધારે નોંધાયો છે, જેના કારણે પાછોતરા વરસાદથી મોટાભાગના ખેત પાકોમાં નુકસાનીની ભિંતી સેવાઈ રહી છે…..

    આ સાથે જ મચ્છુ 1 ડેમની વાત કરીએ તો હાલમાં મચ્છુ ડેમમાં 223 ક્યુસેક જેટલા વરસાદી પાણીની આવક ચાલુ હોય, જેના કારણે ડેમ 0.10 ફૂટ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. ૦૭ સપ્ટેમ્બરના રોજ વિધિવત ઓવરફ્લો થયેલ મચ્છુ એક ડેમ સતત એક મહિનાથી હાલ પણ ઓવરફ્લો થઇ રહ્યો છે. આ સાથે જ આજે બપોર બાદ ડેમ વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો હોવાની વિગતો મળી રહે છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!