વાંકાનેર પંથકમાં શનિવાર રાત્રિના ભારે પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે આવેલા વરસાદના કારણે સમગ્ર પંથક માટે ઠેર ઠેર નાની-મોટી નુકસાનીના બનાવો સામે આવ્યા છે, જેમાં વૃક્ષો ધરાશયી થવા, પતરાના શેડમાં નુકસાની થવી, પોલ્ટ્રી ફાર્મ પડી જવા, વિજળી પડવી સહિતના બનાવો સામે આવ્યા છે…..
વિગતવાર માહિતી જોઇએ તો વાંકાનેર શહેરના પૌરાણિક એવા મણીકણી મંદિરના પ્રાંગણમાં આવેલ 150 વર્ષ કરતાં જુનું પીપળાનું વૃક્ષ આજરોજ સવારે અચાનક ધરાશાય થવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સદનસીબે જાનહાની કે ઈજાની ઘટના ટળી હતી પરંતુ મહાકાય વૃક્ષ ધરાશાય થતા રસ્તો બંધ થઈ ગયો હોય, જેને તાત્કાલિક પાલિકાની ટીમ દ્વારા દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી….
આ સાથે જ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં આવેલ હબીબભાઈ કડીવાર નામના ખેડૂતની વાડીમાં બનાવેલ સાત હજાર પક્ષીની ક્ષમતાનું પોલ્ટ્રી ફાર્મ ભારે પવનના કારણે ધરાશાયી થયું હોય, જોકે સદનસીબે આ બનાવમાં પણ ઇજાની ઘટના ટળી હતી પરંતુ પક્ષીના મોત થતાં ફાર્મરને મોટી નુકસાની પહોંચી હતી….
આ સાથે જ વાંકાનેરના કલાવડી ગામે ગનીભાઈ શેરસિયા નામના ખેડૂતની વાડીએ લીમડાના વૃક્ષ પર વીજળી પડવી તેમજ પંચાસર બાયપાસ પર મચ્છુ નદીના પુલના સ્લેબની ભરાઇ માટે ગોઠવાયેલ સેન્ટીંગનો માચડો ધરાશયી થયો હતો. આવી જ રીતે સમગ્ર પંથકમાં ઠેકઠેકાણે વિજળી પડવાના બનાવો બન્યા હોય, પરંતુ મોટી નુકસાની કે જાનહાની થયેલ ન હોવાની વિગતો મળી રહી છે. તેમજ સમગ્ર પંથકમાં નાના-મોટા શેડમાં પણ નુકસાની પહોંચી હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA