Friday, June 20, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વૃંદાવન પાર્કમાં રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો, એક...

    વાંકાનેરના વૃંદાવન પાર્કમાં રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો, એક આરોપીની ધરપકડ કરતી પોલીસ….

    વાંકાનેર શહેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં થોડા દિવસો પહેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ તથા સોનાચાંદીના દાગીના સહિત 1.70 લાખના મતાની ચોરીનો બનાવ સામે આવ્યો હોય, જે બનાવનો મોરબી એલસીબી ટીમે ભેદ ઉકેલી ચોરી થયેલ મુદ્દામાલ પૈકી 50,000 ની રોકડ રકમની રિકવરી કરી એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઇ રતીલાલભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં થોડા દિવસો પહેલા અજાણ્યા તસ્કરોએ પ્રવેશી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન સહિત 1.70 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોય, જેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામા આવ્યો હતો…

    આ બનાવમાં મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા હ્યુમન સોર્શ તથા ટેકનીકલ માધ્યમથી બનાવનો ભેદ ઉકેલી રાણેકપર ગામના પાટીયા પાસેથી આરોપી પંકેશભાઇ ઉર્ફે પંકલો ઉર્ફે પંખુડી વિનુભાઇ ઉકાભાઇ સોલંકી (ઉ.વ. ૨૫, રહે. કુબલીયાપરા, શેરી નંબર-૫, મચ્છીચોક પાસે, રાજકોટ)ને ઝડપી પાડી પુછપરછ કરતા,

    પોતે આ ગુનો પોતાના મિત્રો સાથે મળી આચરેલ હોય અને ચોરીમાં મળેલ સોનાચાંદીના દાગીના વેચી નાખી રોકડા રૂપીયા મળેલ હોય જે રૂપીયામાંથી તેના ભાગમાં રૂ. ૮૦,૦૦૦ આવેલા હતા જે પૈકી રૂ. ૩૦,૦૦૦ પોતે હોસ્પીટલના ખર્ચમાં વાપરી નાખેલ અને બાકીના રૂ. ૫૦,૦૦૦ તેની પાસે હોવાની કબુલાત આપતા પોલીસે આરોપી પાસેથી બાકીની રૂ. ૫૦,૦૦૦ ની રકમ રિકવર કરી વધુ તપાસ શરૂ કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!