વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પર આવેલ સુપ્રસિદ્ધ વડસર તળાવમાં આજરોજ બપોરના સમયે નાહવા માટે પડેલા એક પરપ્રાંતીય શ્રમિક યુવાન તળાવના પાણીમાં ગરકાવ થતાં યુવકની પાણીમાં શોધખોળ કરવા છતાં પતો ન લાગતા અંતે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી, જેમાં પાંચ કલાક કરતા વધારાની મહેનત બાદ પણ હજુ યુવાની પતો ન લાગ્યો હોવાની માહિતી મળી રહી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પર આવેલ વડસર તળાવ ખાતે આજરોજ રવિવારે બપોરના સમયે તળાવમાં નાહવા પડેલા પરપ્રાંતિય શ્રમિકોમાંથી એક યુવાનનો પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેથી લાંબો સમય સુધી યુવાન પાણીમાંથી બહાર ન આવતા યુવકની પાણીમાં શોધખોળ કરવામાં આવી હતી, જેમાં તેનો પતો ન લાગતા અંતે મોરબીથી ફાયર બ્રિગેડની ટીમોની મદદ લેવામાં આવી હતી. જેમાં હાલ પાંચ કલાક કરતા વધારાની મહેનત બાદ પણ યુવકનો પતો ન લાગ્યો હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA