વાંકાનેર શહેરની સંઘવી શેરી ખાતે રહેતા એક આધેડ પોતાના ઘરે હોય ત્યારે કોઇ કારણોસર તેમને ચક્કર આવવા તેઓ પડી જતાં તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દરબાર ગઢ વિસ્તારમાં સંઘવી શેરી ખાતે રહેતા સહદેવભાઇ રવિવનભાઇ ગોસાઇ (ઉ.વ. 52) નામના આધેડ પોતાના ઘરે હોય ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ બેશુદ્ધ થઇ ઢળી પડતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી સહદેવભાઈને મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp