Sunday, February 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે પંચવિધ સેવાકીય કાર્યક્રમો...

    વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે પંચવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયાં.….

    વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા આજરોજ પોતાના 52 માં જન્મદિવસની પ્રેરણાદાયી પંચવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમ, કર્મચારીઓને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ વિમાનો લાભ, શાકભાજી બિયારણ વિતરણ તથા મનો દિવ્યાંગ બાળકોને મિષ્ટ ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા….

    અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞેશભાઈ પટેલ વાંકાનેર વિસ્તારમાં અનેકવિધ સેવાકાર્યો સાથે જોડાયેલ હોય સાથે પોતાના દાનવીર સ્વભાવથી વાંકાનેરમાં અગ્રણી દાતા તરીકે ઉભરી આવ્યા છે. હાલ તેઓ વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ , વાંકાનેર એજ્યુકેશન સોસાયટીમાં ટ્રસ્ટી, પાંજરાપોળનાં સેક્રેટરી, સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય, વાંકાનેર પાટીદાર સેવા સમાજના પ્રમુખ, ઉમિયાધામ સીદસરનાં ટ્રસ્ટી જેવા અનેક પદ શોભાવી રહ્યા છે…

    આજે તેમના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ પંચવિધ કાર્યક્રમોમાં વાંકાનેર વિસ્તારના સંતો-મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, વેપારીઓ તથા પ્રજાજનો ઉપસ્થિત રહી પ્રજ્ઞેશભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!