વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક નેશનલ હાઈવે પર ચોટીલાના એક ઇકો ચાલકે પોતાની કાર રોડની સાઈડમાં ઉભી રાખી કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે કુવાડવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક નેશનલ હાઈવે પર એક ઇકો કાર નં. GJ 13 CA 4913 ના ચાલાક વિજયભાઈ રાજુભાઈ સરવૈયા (ઉ.વ. ૨૪, રહે. પોપટપરા, કનૈયા હોટલની સામે, ચોટીલા)એ કોઈ અગમ્ય કારણોસર નેશનલ હાઇવે પર સાઈડમાં ઇકો કાર પાર્ક કરી ઝેરી દવા ગટગટાવી લેતા, તેને તાત્કાલિક સારવાર અર્થે કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના તબીબે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg