Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાતીદેવરી ગામ નજીક રિફ્રેક્ટરી કારખાનામાં સાપ કરડી જતાં 3.5 વર્ષીય માસુમ...

    વાંકાનેરના રાતીદેવરી ગામ નજીક રિફ્રેક્ટરી કારખાનામાં સાપ કરડી જતાં 3.5 વર્ષીય માસુમ બાળકનું મોત…..

    વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં આવેલ એક રિફ્રેક્ટરી કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 3.5 વર્ષીય માસુમ બાળકને સાપ કરડી જતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં આવેલ અરમાનભાઈ કડીવારના જેબીએસ રિફ્રેક્ટરી કારખાનામાં રહી કામ કરતાં મધ્યપ્રદેશના વતની રાહુલભાઇ મંગલસીંગ ડામોરના સાડા ત્રણ વર્ષનો પુત્ર ધર્મેશ કારખાનામાં સુતો હોય ત્યારે તેને સાપ કરડી જતાં તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર અર્થે રાજકોટ ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!