Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ચંદ્રપુર નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનના મોત મામલે ટ્રક ચાલકે...

    વાંકાનેરના ચંદ્રપુર નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનના મોત મામલે ટ્રક ચાલકે સામે ગુનો નોંધાયો….

    વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે‌ નેશનલ હાઇવે પર સોમવારે સાંજના સમયે એક ટ્રક ચાલકે સાયકલ સવારને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સાયકલ સવાર યુવાનનું મોત થયું હોય, જે બનાવમાં ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે રહેતા અને વાંકાનેર શહેરના ગ્રીનચોક ખાતે તાજ હોટલમાં કામ કરતા અકબરભાઈ સલેમાનભાઈ રતનીયા નામનો યુવાન સોમવારે સાંજે હોટલથી કામ પૂરૂ કરીને સાયકલ લઈ પોતાના ઘર તરફ જઈ રહ્યો હોય, ત્યારે નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસેથી પસાર થતા એક ટ્રક નં. RJ 04 GC 3272 ના ચાલકે હડફેટે લઇ ટ્રકનો જોટો માથે ફેરવી દેતા અકબરભાઈનું મોત થયું હતું. જે બાદ ટ્રક ચાલક સ્થળ પર પોતાનું વાહન મુકી નાસી જતા આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ગુલામરસુલ રતનીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!