Thursday, January 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સતાપર ગામે આગેવાનોની મધ્યસ્થતાથી શાળાના જમીન વિવાદનો અંત....

    વાંકાનેરના સતાપર ગામે આગેવાનોની મધ્યસ્થતાથી શાળાના જમીન વિવાદનો અંત….

    જીજ્ઞાસાબેન મેરની મહેનત રંગ લાવી, લાંબા સમયથી સળગતો પ્રશ્ન અંતે હલ થયો…

    વાંકાનેરના સતાપર ગામે લાંબા સમયથી નવી માધ્યમિક શાળાની જમીનનો વિવાદ ચાલતો હોય, જેમાં બે દિવસ પહેલા આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હોય, ત્યારે બહારના અસામાજિક તત્વો દ્વારા સળગાવવામાં આવેલ આ જમીન વિવાદનો અંત આજરોજ વાંકાનેર નજીક આવેલ માંધાતા ધામ ખાતે ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિરની જગ્યાએ બંને પક્ષો, ગામના તેમજ આજુબાજુના આગેવાનોને સાથે રાખી વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેરના દ્વારા કરાવ્યો હતો…

    આ તકે શિક્ષણની જમીનના વિવાદાસ્પદ પ્રશ્નનો ઉકેલ ધર્મ સ્થળ પર થતા જિજ્ઞાસાબેન મેરે બંને પક્ષોને અભિનંદન પાઠવ્યા હતા અને આજુબાજુના ગામના દીકરા-દીકરીઓના માધ્યમિક શિક્ષણ માટે નવી માધ્યમિક શાળા માટે જાગૃતતા દેખાડનાર બંને પક્ષોએ મધ્યસ્થી કરાવનાર જિજ્ઞાસાબેનનો આભાર વ્યક્તો કર્યો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!