Friday, March 14, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી બિનહરીફ, એકમાત્ર જોઇન્ટ સેક્રેટરી પદ માટે ચુંટણી યોજાશે....

    વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી બિનહરીફ, એકમાત્ર જોઇન્ટ સેક્રેટરી પદ માટે ચુંટણી યોજાશે….

    પ્રમુખ તરીકે સુનીલ મહેતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશ પરમાર, સેક્રેટરી તરીકે ફારૂકભાઈ ખોરજીયા બિનહરીફ….

    વાંકાનેર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી પદના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા આ તમામ પદો પર બિનહરીફ ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં એકમાત્ર જોઈન્ટ સેક્રેટરી પદ માટે ફોર્મ પરત ન ખેંચાતા આગામી તા. 20 ના રોજ ચૂંટણી યોજવામાં આવશે….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણીમાં કુલ 18 ઉમેદવારો પૈકી 12 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જેથી બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે સુનિલભાઈ મેહતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ પરમાર, સેક્રેટરી તરીકે ફારૂકભાઈ ખોરજીયા, ખજાનચી તરીકે અર્પિત જોબનપુત્રાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે ફક્ત જોઈન્ટ સેક્રેટરી પદ માટે મીનાક્ષીબેન વોરા અને સીરાકમુદીન શેરસિયા બે ઉમેદવારો બાકી રહેતાં આગામી તા.20 ડિસેમ્બરના રોજ તેના માટે ચૂંટણી યોજાશે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!