Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા NEET પરિક્ષામાં ગોટાળા મામલે વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર...

    વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા NEET પરિક્ષામાં ગોટાળા મામલે વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….

    વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સમગ્ર દેશમાં નીટ પરીક્ષા મામલે ચાલતાં ગોટાળા બાબતે વિરોધ પ્રદર્શન સાથે વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે દેશના રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર પાઠવી આ ગોટાળાઓ મામલે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.‌..

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સેવા સદન કચેરી ખાતે NEET પરિક્ષામાં સામે આવેલા ગોટાળાઓ મામલે સૂત્રોચાર અને વિરોધ પ્રદર્શન કરી દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધિ વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર પાઠવી નીટ પરીક્ષામાં થયેલા ગોટાળાઓના દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. આ સાથે તનતોડ મહેનત કરી પરિક્ષાની તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓ સાથે થયેલ અન્યાય મામલે NEET પરીક્ષા રદ કરીને નવેસરથી લેવા માંગ કરવામાં આવી હતી….

    આ તકે વિરોધ પ્રદર્શનમાં વાંકાનેર કોંગ્રેસ સમિતિના શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, અરવિંદભાઈ આંબલીયા, જશુભાઈ ગોહિલ, ડો. રૂકમુદ્દીન માથકીયા, ઉસ્માનભાઈ માથકીયા, આબિદ ગઢવાળા, ફારૂકભાઈ કડીવાર, નાથાભાઈ ગોરિયા, મયુદ્દીનભાઈ ચૌધરી, મુનીરભાઈ પરાસરા, હાસમભાઈ બાંભણીયા, એહમદભાઈ માથકીયા, હનીફભાઇ શેરસીયા, મુસ્તુફા કડીવાર, એમ. જે. પટેલ સહિતના જોડાયા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!