ધી પીર કાસીમઅલી (રહે.) અંજુમન મોમીન ટ્રસ્ટ સંચાલિત મોહંમદી લોકશાળા-ચંદ્રપુર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સતત શ્રેષ્ઠ પરિણામની પરંપરા જાળવી રાખી ધોરણ-12 HSC બોર્ડમાં સતત બીજી વખત 100% પરિણામ મેળવેલ હોય જે સિદ્ધિ બદલ શિક્ષક દિવસ નિમિત્તે મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા કલેક્ટર તથા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે શાળાનું સન્માન કરવામાં આવ્યું હતું…
આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા આ સન્માન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શાળા સંચાલન દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં પણ શાળા વધુ ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરે અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





