
વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા એક ૫૩ વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર શહેરના આરોગ્યનગર શેરી નં. ૩ ખાતે રહેતા સીદીકભાઇ મામદભાઇ ખલીફા (ઉ.વ. ૫૩) નામના આધેડ પોતાના ઘરે એકલા હોય, ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેમણે ઝેરી દવા પી ગટગટાવી લેતાં તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0




