મોમીન સમાજના ધર્મગુરૂ અને “કુત્બે કાઠિયાવાડ” તરીકે જાણીતા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા-ચંદ્રપુરના યોમે વિલાદત નિમિત્તે આજરોજ 18 રમઝાનના દિવસે વાંકાનેર સહિત આજુબાજુના 45 ગામોમાં તેમના અનુયાયીઓ દ્વારા મેગા ઇફ્તારીનું આયોજન કરવામાં આવ્યું હતું….
મોમીન સમાજના હજારો લોકોએ આ ખાસ દિવસે એકસાથે રોઝા ખોલીને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો. અનેક ગામોમાં મસ્જિદોમાં ઇફ્તાર સાથે સાથે ગામના ઘરો સુધી ઇફ્તારી કીટ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક મેગા ઇફતારીમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના હજારો લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને એકસાથે રોઝા ખોલીને પોતાના ધર્મગુરૂને ખિરાજે અકીદત (શ્રદ્ધાંજલિ) પેશ કરી હતી. આયોજનની વિશેષતા એ હતી કે, માત્ર મસ્જિદોમાં જ નહીં પરંતુ કેટલાક ગામોમાં તો ગામના તમામ ઘરો સુધી ઇફ્તારીની કીટ પહોંચાડવામાં આવી હતી, જેથી કોઈ પણ વ્યક્તિ આ પવિત્ર દિવસે ઇફ્તારીથી વંચિત ન રહે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




