
વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજરોજ રવિવારે બપોરના સમયે વાંકાનેર–મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં મુસાફરી કરવા જતાં ચાલું ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા એક મુસાફરનો પગ લપસ્યો હતો, જેમાં માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા મુકેશભાઈ મોતીભાઈ વરિયા (ઉ.વ. ૫૯, રહે. મોરબી) નામના મુસાફરનું કરુણ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો સ્ટેશન ખાતે એકત્ર થયા હતા. હાલ આ ઘટનાને પગલે રેલ્વે પોલીસના હેડ કો. કુલદિપસિંહ ઝાલા દ્વારા મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે…
વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ચાલું ટ્રેનમાં ચઢવા જતાં મુસાફરનો પગ લપસ્યો, કરૂણ મોત…
RELATED ARTICLES





