Monday, October 27, 2025
More
    Homeમુખ્ય સમાચારઆનંદો..: ખેડૂતોને શિયાળું પાકમાં સિંચાઈ માટે મચ્છુ 1 ડેમમાંથી કેનાલમાં પાણી છોડાશે,...

    આનંદો..: ખેડૂતોને શિયાળું પાકમાં સિંચાઈ માટે મચ્છુ 1 ડેમમાંથી કેનાલમાં પાણી છોડાશે, 27મીથી ફોર્મ ભરવાના શરૂ થશે….

    વાંકાનેર, મોરબી તથા ટંકારા તાલુકાના કુલ 29 કરતાં વધારે ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે….

    વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 1 ડેમ સતત સાતમાં વર્ષે ઓવરફ્લો થતાં નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. જે બાદ હવે ખેડૂતો માટે પણ સારા સમાચાર આવ્યા છે, જેમાં મચ્છુ 1 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી વાંકાનેર, મોરબી અને ટંકારા તાલુકાના 29કરતાં વધારે ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે….

    ડેમ ઓવરફ્લો થતાં આ વર્ષે ખેડૂતોને શિયાળું પાકમાં છ પાણ માટે સિંચાઇ કરવા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે, જેમાં આગામી તા. ૨૭ ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ખેડૂતોએ કેનાલમાંથી પાણી મેળવવા માટે ફોર્મ ભરી શકશે, જે ફોર્મ ભરી ખેડૂતોએ સિંચાઈ ઓફીસ ખાતે જમાં કરાવવાના રહેશે. જેમાં ખેડૂતોએ પ્રતિ હેક્ટર દિઠ છ પાણ માટે રૂ. ૨૫૦૯ ચુકવવા નિર્ણય લેવાયો છે. જે બાદ અંદાજે ૦૫ નવેમ્બરથી કેનાલમાં પાણી છોડવામાં આવશે તેમ સિંચાઈ અધિકારી દ્વારા જણાવાયું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!