Thursday, March 13, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના મિલપ્લોટમાં રસ્તાનું કામ પૂર્ણ થયા બાદ પણ માટીનો ઢગલો ન હટ્યો,...

    વાંકાનેરના મિલપ્લોટમાં રસ્તાનું કામ પૂર્ણ થયા બાદ પણ માટીનો ઢગલો ન હટ્યો, કાઉન્સિલર દ્વારા રજુઆત કરાઇ…

    મિલપ્લોટ વિસ્તારમાં ભુગર્ભ ગટરના તુટેલા ઢાંકણા બદલાવવા તથા કચરા કલેકશન માટે વાન શરૂ કરવા માંગ….

    વાંકાનેર શહેરના વોર્ડ નંબર 2 માં રેલ્વે સ્ટેશન તરફ જવાના મુખ્ય માર્ગ પર નગરપાલિકા દ્વારા રસ્તાની મરામત કામગીરી દરમ્યાન માટીના ઢગલા કરી રોડ બંધ કરવામાં આવેલ હોય, જે કામગીરી પુર્ણ થયા બાદ પણ માટીનો ઢગલો ઉપાડવામાં ન આવતા એક તરફનો વાહનવ્યવહાર બંધ રહેતા ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે, જેને દુર કરવા તેમજ વોર્ડ નં ૨ માં કચરા કલેકશન માટે વાન શરૂ કરવા તથા ભુગર્ભ ગટરના તુટેલા ઢાંકણા બદલાવવા સ્થાનિક કાઉન્સિલર દ્વારા રજુઆત કરવામાં આવી છે…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના વોર્ડ નંબર 2ના ચુંટાયેલ સદસ્ય જાગૃતિબેન ચૌહાણ દ્વારા આજરોજ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી, તેમના વિસ્તારમાં રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર ફાટક પાસે લાંબા સમયથી રસ્તો તૂટી ગયો હતો જ્યાં પાલિકા દ્વારા રસ્તાની મરામત કરવામાં આવી હતી. કામ ચાલતું હોવાથી માટીનો ઢગલો કરી રસ્તો બંધ કરાયો હોય, જે કામ પુર્ણ થઇ જતા રસ્તા વચ્ચેથી ધૂળના ઢગલા ઉપાડવા માંગ કરવામાં આવી છે….

    આ ઉપરાંત વોર્ડ નંબર 2 માં કચરાની ગાડી આવતી નથી અને ગટરના ઢાંકણા પણ તૂટી ગયેલી હાલતમાં છે. તો આ વિસ્તારમાં કચરો લેવા ગાડી નિયમિત આવે અને ગટરના ઢાંકણા તાત્કાલિક બદલવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. પાલિકામાં વિરોધ પક્ષ મજબૂત બનતા જ લોકોની સમસ્યાઓ બાબતે રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારે હવે સમય સૂચકતા વાપરીને પાલિકા તંત્ર દ્વારા અધૂરા અને મનસ્વી નિર્ણયો લેવામાં વિચાર કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!