Saturday, February 22, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની મીલ સોસાયટીમાં નાની-નાની વાતોમાં પતિના શક વહેમ અને ઝઘડાથી કંટાળી પરિણીતાએ...

    વાંકાનેરની મીલ સોસાયટીમાં નાની-નાની વાતોમાં પતિના શક વહેમ અને ઝઘડાથી કંટાળી પરિણીતાએ આયખું ટુંકાવ્યું…..

    વાંકાનેર શહેરની મિલ સોસાયટીમાં ચાર માળિયા બિલ્ડિંગ હાઉસિંગમાં રહેતી એક પરિણીત મહિલા પર તેનો પતિ નાની નાની વાતમાં શક વહેમ અને ઝઘડો કરતો હોય, જેનાથી કંટાળી પરણીતાએ રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની મિલ સોસાયટીમાં ચાર માળિયા હાઉસિંગ બિલ્ડીંગમાં રહેતી હીનાબેન રફિકભાઈ બાબરીયા (ઉ.વ. 23) નામની પરણીત મહિલા પર તેનો પતિ નાની-નાની વાતમાં શક વહેમ કરતો હોય અને ઝઘડા કરતો હોય, જેનાથી કંટાળી મહિલાએ ઘરના રૂમમાં પંખે ચુંદડી બાંધી ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!