વાંકાનેરના ફરિયાદી શુભમ પિયુષભાઈ ભાટીએ જૂની મિત્રતાના નાતે ધંધા માટે આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ જાડેજાને પાંચ લાખ રૂપિયા હાથ ઉછીના આપેલ હોય, જે રકમ ફરિયાદીએ પરત માંગતા આરોપીએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો પાંચ લાખનો ચેક આપેલ હોય, જે ચેક અપુરતા ભંડોળના કારણે રિટર્ન થતા ફરિયાદીએ પોતાના વકીલ રાજેશ એમ. મઢવી મારફતે વાંકાનેર કોર્ટમાં ફરિયાદ કરતા, આ કેસ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી તરફે વકીલની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ જાડેજાને એક વર્ષની સજા તેમજ રૂપિયા પાંચ લાખ વળતર ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ તરીકે રાજેશભાઈ એમ. મઢવી તથા નારાયણ એન. ગોસ્વામી રોકાયેલ હતાં.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA