Saturday, March 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણીના પડઘમ વાગ્યા, પ્રમુખ પદ માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ...

    વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણીના પડઘમ વાગ્યા, પ્રમુખ પદ માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા….

    વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ પદ માટે પાંચ, ઉપપ્રમુખ પદ માટે ત્રણ, સેક્રેટરી પદ માટે છ અને જોઇન્ટ સેક્રેટરી પદ માટે ત્રણ ફોર્મ ભરાયાં છે, જ્યારે ખજાનચી પદ માટે એકમાત્ર અર્પિત જોબનપુત્રાએ ફોર્મ ભરતા બિનહરીફ થયાં છે….

    અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર બાર એસોસિયેશન માટે આગામી તા. 20 ડિસેમ્બરના રોજ સવારે 10 થી બપોરે 02 વાગ્યા સુધી મતદાન અને ત્રણ વાગ્યે મતગણતરી થશે, જેના માટે તા. 2 ડિસેમ્બર થી 6 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી. તા. 9 તારીખ સુધીમાં ફોર્મ ચકાસણી થશે. 10 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને 11 ડિસેમ્બરના રોજ ઉમેદવારની આખરી યાદી જાહેર કરવામાં આવશે. જેમાં ચુંટણી કમીશનર તરીકે વિશાલ જે. પટેલ ફરજ બજાવી રહ્યા છે.

    વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણીમાં આગામી મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચાયા બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ બનશે, જેમાં હાલ બારની ચુંટણી બિનહરીફ યોજવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેની સફળતા મંગળવારે સ્પષ્ટ થશે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!