વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ મોટા સીરામીક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ મોટા સીરામીક ફેક્ટરીમાં રહી કામ કરતા સંજયકુમાર અમીનસિંહ યાદવ (ઉ.વ. 18) નામના યુવાને ગતરાત્રિના દોઢ વાગ્યાની આસપાસ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….