Thursday, September 11, 2025
More
    Homeમુખ્ય સમાચારજાહેરનામાંનો ભંગ : વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર પાસે આસોઇ નદીના જોખમી પુલ...

    જાહેરનામાંનો ભંગ : વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર પાસે આસોઇ નદીના જોખમી પુલ પર ભારે વાહનોની અવરજવરથી પડ્યા ગાબડા…..

    અનેકવાર જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા છતાં સમસ્યા જૈસે થે : જોખમી પુલ પર ચોમાસામાં કોઇ દુર્ઘટના સર્જાઇ તે પુર્વે યોગ્ય કાર્યવાહી કરવા માંગ….

    વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર નજીક ખીજડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતી અસોય નદી પર આવેલ પુલ લાંબા સમયથી જર્જરીત હાલતમાં હોય, જેનું તંત્ર દ્વારા સમારકામ કરી બાઇક તથા કાર માટે પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હોય, જે બાદ જિલ્લા કલેકટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય તેમ છતાં કોઈ પણ પ્રકારની રોકટોક વગર અહીંથી ભારે વાહનો પસાર થતાં હોય,

    ત્યારે વર્તમાન ચોમાસાના સમયમાં ફરી પુલ પર ગાબડા પડી જતા પુલ જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયો છે. હાલ ચોમાસામાં પુલ પર પડેલા મસમોટા ગાબડાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા અહીંથી પસાર થતાં ભારે વાહનોને અટકાવી પુલ પરના ગાબડાં પુરવામાં આવે તેવી માંગ ઉઠી છે.  આ મામલે કોંગ્રેસ અગ્રણી આબીદ ગઢવારા દ્વારા જાહેરનામાની અમલવારી કરવા માંગ કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!