વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના લાલપર ગામ ખાતે રિબીશન કેમિકલ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કંપની દ્વારા લાલપર ગામની આજુબાજુ નેશનલ હાઇવે પર તથા કંપની પરીસરમાં ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું….
આ તકે રિબીશન કેમિકલ કંપનીના એમડી રિયાસત વકાલીયા તથા સોયબભાઈ શેરસીયા, ગામના સરપંચ અલાવદીભાઈ ખોરજીયા, યુનુસભાઈ શેરસીયા(પરફેક્ટ પંપ), મંત્રી જાદવભાઈ, હાજીભાઇ માથકીયા, જસરૂદ્દીનભાઈ ખોરજીયા સહિત રિબીશન કંપનીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા….