છેલ્લા એક અઠવાડિયાથી પંજાબમાં અતિ ભારે વરસાદના કારણે 15 થી વધારે જિલ્લાઓ સંપૂર્ણ પણે પાણીમાં ડૂબી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થતા આ વિસ્તારોમાં નાગરિકોને હાલ ભોજન, કપડા, સ્વચ્છ પાણી, ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો સહિત જીવન જરૂરી વસ્તુઓની તાતી જરૂરિયાત હોય, ત્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માનવતા મહેકાવી નાત-જાતના ભેદભાવથી પર બની પંજાબના પુર અસરગ્રસ્તોની મદદથી આવ્યા છે….
માનવતા માટે સ્વયંભૂ રીતે શરૂ થયેલા આ અભિયાનમાં વાંકાનેરના પીપળીયા રાજ, વાલાસણ, અરણીટીંબા, તિથવા, કલાવડી, રાણેકપર, વાંકીયા, પ્રતાપગઢ, કોઠી, રાતીદેવરી, ચંદ્રપુર, રસીકગઢ, પંચાસર, પંચાસીયા સહિત મોટાભાગના ગામોમાંથી લોકો પુર અસરગ્રસ્ત દેશવાસીઓ માટે પોતાના ઘરોમાંથી દિલ ખોલી મદદ કરી કરી કપડાં, ભોજનનો સરસામાન, રોકડ રકમ, વરસાદ તથા ઠંડીથી બચવા માટેના વસ્ત્રો, પ્લાસ્ટિક, વાસણ સહિત દરેક જીવન જરૂરિયાત વસ્તુઓની મદદ કરી રહ્યા છે, જે તમામ વસ્તુઓ એક જગ્યાએ એકત્ર કરી તેમાંથી રાહત કીટો બનાવી ટ્રક કન્ટેનર ભરી પંજાબ રવાના કરવાની તૈયારીઓ હાલ પુરજોશમાં ચાલી રહી છે….