ટ્રાફિક સમસ્યાથી વાંકાનેરને મુક્તિ ક્યારે ? ; મીની વાવાઝોડામાં પુલના સ્લેબની ભરાઇ માટે ગોઠવાયેલ સેન્ટીંગનો સમાન ધરાશાયી, ચોમાસા પુર્વે પુલનું કામ પુરૂ કરવું અશક્ય….
વાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદી પર બનેલ પુલ લાંબા સમયથી જર્જરીત હાલતમાં હોય, જેના કારણે છેલ્લા એક વર્ષથી વાંકાનેર શહેરમાં ટ્રાફિક સમસ્યાએ માઝા મૂકી છે, જેનાથી સમગ્ર પંથકના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ સમસ્યામાં પડ્યા પર પાટું સમાન સ્થિતિ સર્જાઈ છે, જેમાં જર્જરીત થયેલ પુલના સ્લેબની મરામત કામગીરી દરમ્યાન ગઇકાલે રાત્રીના વાંકાનેર પંથકમાં આવેલ મીની વાવાઝોડા સાથેનાં વરસાદમાં પુલના સ્લેબની ભરાઇ માટે ગોઠવવામાં આવેલ સેન્ટીંગનો માચડો ધરાશયી થયો હોવાની વિગતો મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પંચાસર બાયપાસ પર છેલ્લા એક વર્ષથી જર્જરીત થયેલ પુલના કારણે હેવી વાહનોનો સમગ્ર ટ્રાફિક વાંકાનેર શહેરમાં ડાયવર્ટ થયો હોય, જેના કારણે શહેરમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય રહી છે, જેનાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ પુલના મરામત કામગીરી ચોમાસા પૂર્વે જ પૂર્ણ કરવા નેતાઓએ નાગરિકોને વાદાઓ કર્યા હોય, દરમ્યાન ધીમી ગતિએ ચાલતી કામગીરીથી પણ નાગરિકો નારાજ હોય,
ત્યારે ગતરાત્રિના વાંકાનેર પંથકમાં આવેલ મીની વાવાઝોડા સાથેના વરસાદના કારણે પુલના એક ખાતાના સ્લેબની ભરાઈ માટે કોન્ટ્રાક્ટર દ્વારા ગોઠવવામાં આવેલ સેન્ટીંગ કામનો માચડો ભરાઈ ના આગલા દિવસે જ ધરાશાય થતા પુલની કામગીરી પુનઃ સ્થગિત થઈ ગઈ છે, જેના કારણે ચોમાસા પૂર્વે આ પુલની મરામત કામગીરી પૂર્ણ કરવી અશક્ય બની છે. જેથી હવે વધુ છ મહિના જેટલો સમય આ પુલની મરામત કામગીરીમાં લાગવાથી નાગરિકો ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાનત થશે તે નિશ્ચિત બન્યું છે. ગ્રામ પંચાયતથી કેન્દ્ર સરકાર સુધી સત્તામાં બેઠેલા વાંકાનેર ભાજપના નેતાઓની આવી નબળી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે….
વાંકાનેર પંથકના નાગરિકોનો નેતાઓને એક જ પ્રશ્ન, આખરે અમારી સમસ્યાઓનું નિવારણ કોણ લાવશે ?