વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને યુવા-ઉત્સાહી બિઝનેસમેન જૈનુલ શેરસીયાનો આજે જન્મદિવસ છે. તેઓ આજે પોતાના જીવનના 29 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 30માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આ નિમિત્તે સવારથી જ તેમના પર સોશિયલ મીડિયા, મો. 83207 62430 અને રૂબરૂ મળીને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે….

અત્રે ઉલ્લેખનીય છે કે, જૈનુલ શેરસીયા એક બહુમુખી પ્રતિભા ધરાવતા ઉદ્યોગ સાહસિક છે. તેઓ હાલમાં અનેક વ્યવસાયોનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે ArtFire Ceramic, AF Car Body Works, અને AF Family Cafe & Restaurant નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ AF Group ના CEO તરીકે પણ વિવિધ વ્યાવસાયિક સોપાનો સાથે સંકળાયેલા છે. વિવિધ ક્ષેત્રમાં બહોળું મિત્ર મંડળ ધરાવતા જૈનુલભાઈને આજના તેમના આ ખાસ દિવસે પરિવારજનો, સગા-સ્નેહીઓ, મિત્રો અને બિઝનેસ પાર્ટનર્સ તરફથી ચોમેરથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી મંગલ કામનાઓ પાઠવવામાં આવી રહી છે…..





