Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારસમગ્ર વાંકાનેર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ....

    સમગ્ર વાંકાનેર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ….

    તહેવારની ઉજવણીના ભાગરૂપે ગામેગામ ભવ્યાતિભવ્ય ઝુલુસ, બાલ મુબારક દર્શન, ઈબાદત, તકરીર, લંગર, ન્યાઝ, વાયઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું…..

    આજરોજ ઈદ-એ-મિલાદ તહેવારની સમગ્ર વાંકાનેર તાલુકામાં મુસ્લિમ બિરાદરોને દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના ગ્રામ વિસ્તારોમાં સવારે અને વાંકાનેર શહેર ખાતે બપોર બાદ શહેરના રાજમાર્ગો પર વિશાળ ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા…

    આજે ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા અલ્લાહની બંદગી સાથે પયગંબર સાહેબના જન્મ દિવસની ખુશી મનાવવામાં આવે છે, જેમાં આજે વાંકાનેર વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ વિશાળ જુલૂસ, સવારે મસ્જિદોમાં પયગંબર સાહેબના બાલ મુબારક દર્શન, ગામે ગામ મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરો અને મસ્જિદોને શણગાર, કુરાનની તિલાવત, ગરીબોને દાન, ન્યાઝ, તકરીર સહિતના કાર્યક્રમો થકી ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી કરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!