Tuesday, September 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાતાવીરડાથી સરતાનપર વચ્ચે ઉદ્યોગકારો દ્વારા બે કરોડના સ્વખર્ચે સીસી રોડ બનાવવાની...

    વાંકાનેરના રાતાવીરડાથી સરતાનપર વચ્ચે ઉદ્યોગકારો દ્વારા બે કરોડના સ્વખર્ચે સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઇ….

    વાંકાનેરના ઔદ્યોગિક ઝોન એવા ઢુવા વિસ્તારોમાં આવતા રાતાવીરડા-સરતાનપર રોડ પર અનેક સિરામિક એકમો કાર્યરત હોય, જેમાં લાંબા સમયથી આ રોડ ખખડધજ હાલતમાં ફેરવાઇ જતા વાહનચાલકોને ભારે હાલાકી અને ઔદ્યોગિક ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય, ત્યારે સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા તંત્ર ઉપર આશા રાખ્યા વગર સ્વખર્ચે અહી સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે….

    રાતાવીરડા ગામથી સરતાનપરને જોડાયા આ રોડ પર સેન્સો ચોકડીથી નેશનલ હાઇવે સુધી બે કીમીના સીસી રોડ માટે સ્થાનિક 110 જેટલા ઔદ્યોગિક એકમો દ્વારા બે દિવસ પહેલા બેઠક બોલાવી બે કરોડના ખર્ચે અહી સીસી રોડ બનાવવા નિર્ણય કરી સ્વખર્ચે જ રોડ બનાવવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. જેથી આગામી દોઢ મહિના જેટલા સમય સુધી વાહનચાલકોએ પાનેલી રોડ અથવા સેટમેક્સથી પેંગવીન સિરામિક આ બે વૈકલ્પિક રૂટ પર ચાલવા જણાવવામાં આવ્યું છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!