Saturday, March 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના થાન રોડ પર માંધાતાદેવ અને વેલનાથ બાપુના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા...

    વાંકાનેરના થાન રોડ પર માંધાતાદેવ અને વેલનાથ બાપુના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 16 દિકરીઓનો સમુહલગ્ન યોજાયો….

    માંધાતા દેવ અને સંત શ્રી વેલનાથબાપુના મંદિરના વિશાળ મેદાનમાં યોજાયેલ ત્રીજા સમુહલગ્નમાં 16 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં….

    વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં થાન રોડ પર નિર્માણાધિન ભગવાન માંધાતાદેવ અને સંત શ્રી વેલનાથબાપુના ભવ્ય મંદિર ખાતે આજરોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કોળી સમાજના 16 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ તકે સમુહ લગ્નમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજર રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના થાન રોડ પર નિર્માણાધિન ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ ધામધૂમથી યોજાયો હતો જેમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-વાંકાનેરના ઉપક્રમે 16 દિકરીઓના ભવ્ય ત્રીજા સમૂહ લગ્નોત્સવ પણ યોજાયો હતો…

    આ કાર્યક્રમના અધ્યક્ષપદે ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કેન્દ્ર સરકારના રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંતો-મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો સહિતના ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જીજ્ઞાસાબેન મેર અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!