વાંકાનેર તાલુકાની જામસર ચોકડી નજીક આવેલ એક પેપર મીલ સામે બેલાની ખાણમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાનને કોઇ કારણોસર વિજ શોક લાગતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની જામસર ચોકડી નજીક આવેલ પેપરમિલની સામે બેલાની ખાણમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની નિરજકુમાર વિજયકુમાર ગૌતમ (ઉ.વ. 30) નામના શ્રમિક યુવાનને કોઇ કારણોસર વીજ શોક લાગતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….