વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતી એક પરિણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતી અનીશાબેન રૂકમુદ્દીનભાઈ શેરસીયા (ઉ.વ. ૪૦) નામની પરણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….