
વાંકાનેર તાલુકામાં સમાવિષ્ટ મોરબી જિલ્લા પંચાયતની ચંદ્રપુર બેઠક પર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર તરીકે ચંદ્રપુર ગામના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય ઈસ્માઈલભાઈ શેરસીયાને મેદાનમાં ઉતારતા આ બેઠક પર પંજાની પકડ મજબૂત બની હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે….


અત્રે ઉલ્લેખનીય છે કે ઈસ્માઈલભાઈ તેમના જાહેર જીવનમાં ભેદભાવ વગર સર્વ સમાજ માટે સતત કાર્યરત રહેતાં હોય માટે ચંદ્રપુર બેઠક પર તેમની દાવેદાર મજબૂત માનવામાં આવી રહી છે. હાલના રાજકીય સમીકરણો જોતાં, આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો સ્પષ્ટ ઝુકાવ તેમના તરફ જોવા મળી રહ્યો છે. માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઈસ્માઈલભાઈ શેરસીયાને મળી રહેલું વ્યાપક જનસમર્થન આ વિસ્તારમાં કોંગ્રેસના “પંજાની મજબૂત પકડ” હોવાનો ભાસ કરાવે છે….






