Tuesday, February 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : પરિવારની નબળી આર્થિક સ્થિતિના ટેન્શનમાં 19 વર્ષિય યુવાનને ગળાફાંસો ખાઇ...

    વાંકાનેર : પરિવારની નબળી આર્થિક સ્થિતિના ટેન્શનમાં 19 વર્ષિય યુવાનને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ વરમોરા સિરામિક કારખાનામાં મજૂરી કામ કરી લેબર ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીય યુવાનના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોય, જેના ટેન્શનમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે….

    પ્રાપ્ત વિગતો મુજબ પીયુષ આનંદકુમાર અગ્નિહોત્રી (ઉ.વ. ૧૯, રહે. હાલ વરમોરા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં, મુ. રાતાવિરડા, મૂળ રહે. ટકરુપુર, ઉત્તરપ્રદેશ)ના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સતત પૈસાની તંગી રહેતી હોવાથી જેના માનસિક તણાવમાં વ્યથિત બની યુવકે લેબર ક્વાર્ટરના રૂમમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.‌ જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!