Thursday, January 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના દિઘલીયાથી શેખરડી સુધીના રોડનું રૂ. 1.20 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું....

    વાંકાનેરના દિઘલીયાથી શેખરડી સુધીના રોડનું રૂ. 1.20 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું….

    મોરબી જિલ્લામાં રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી અન્વયે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વાંકાનેરી તાલુકામાં દિઘલીયા ગામથી શેખરડી સુધીના ૩.૫ કિલોમીટર ગ્રામ્ય માર્ગની અંદાજે રૂ. 1.20 કરોડના ખર્ચે રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ ગ્રામ્ય માર્ગના નવીનીકરણથી ગ્રામ્ય પરિવહન સુરક્ષિત અને સલામતી સાથે સુલભ બન્યું છે….

    કાર્યરત માર્ગોની આવરદા પૂર્ણ થતા રોડ-રસ્તા નવીનીકરણની કામગીરી કરવામાં આવે છે, જે અંતર્ગત વાંકાનેર તાલુકાના ગામડાઓને જોડતા આ ગ્રામ્ય માર્ગની રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જુના નુકસાનગ્રસ્ત રોડની રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરી માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી પૂર્ણ થતા લોકોની પરિવહન સુવિધામાં વધારો થયો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!