‘સલામત સવારી, એસ.ટી અમારી’ અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને સાર્થક કરતા ગુજરાત સરકાર દ્વારા વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડને વધુ એક નવી બસ ફાળવવામાં આવી છે, જે ‘વાંકાનેર-દાહોદ-ગાગરડી’ રૂટની નવી બસ સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે….
આ નવી બસના લોકાર્પણ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને એસટી વિભાગના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યત્વે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતનગીરી ગોસ્વામી, હર્ષિત સોમાણી, રમેશભાઈ વોરા, બ્રિજરાજસિંહ ઝાલા, જે.બી. મદ્રેસાનીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ નવી બસ સેવા શરૂ થવાથી વાંકાનેરથી પંચમહાલ અને દાહોદ તરફ જતા મુસાફરોને આવન-જાવનમાં ખૂબ જ મોટી સુવિધા મળી રહેશે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





