વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ વાંકાનેરના વઘાસીયા ગામે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યક્રમ યોજાયો હોય, જેમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી વિકાસ ભારત પ્રતિજ્ઞા લીધી હતી….
આ તકે કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનશક્તિ, જળ શક્તિ, રક્ષાશક્તિ, ઊર્જાશક્તિ અને જ્ઞાનશક્તિ એ પાંચ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે. આજે વંચિત અને છેવાળાના લોકો સુધી સરકાર પહોંચી છે અને યોજનાઓની અસરકારક અમલવારી શક્ય બની છે. સરકારના ભગીરથ પ્રયાસોથી આજે ગામડાની વિભાવના બદલી છે, આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યો થતી ગામડાઓ વિકસિત બન્યા છે. ગામડાઓમાં શાળા અને આરોગ્ય કેન્દ્રના અધ્યતન બન્યા છે. જ્યોતિગ્રામ યોજનાથી ૨૪ કલાક નિયમિત વીજળી શક્ય બની છે. ગામડાઓમાં વિશાળ પ્રમાણમાં રોજગારીઓનું સર્જન કરવામાં આવ્યું છે તથા પીએમ કિસાન શનિધિ સહિતની અનેક યોજનાઓએ ખેડૂતોને સબળ બનાવ્યા છે. વધુમાં તેમણે સૌને સ્વદેશી વસ્તુઓ અપનાવા અનુરોધ કર્યો હતો….
આ પ્રસંગે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે.વી. સાનિયા, તાલુકા વિકાસ અધિકારી પાયલબેન ચૌધરી, અગ્રણી હરુભા ઝાલા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, વઘાસિયા તથા આજુબાજુ ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….