Tuesday, March 11, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સિંધાવદર નજીક આસોઈ નદી પરના પુલમાં એક સાંધોને તેર તુટે તેવી...

    વાંકાનેરના સિંધાવદર નજીક આસોઈ નદી પરના પુલમાં એક સાંધોને તેર તુટે તેવી સ્થિતિ, ઉપરથી થીગડા મરાયા બાદ હવે પુલ નીચેથી પણ ડેમેજ….

    પુલમાં ઉપરથી થીગડા મરાયા બાદ વાહનવ્યવહાર શરૂ કરતાં પહેલાં પુલનું નીચેથી નિરિક્ષણ કરતાં ભોપારૂ, અંતે ડાયવર્ઝનમાં ડામર પાથરી રીપેર કરાયો !

    વાંકાનેર-કુવાડવા મેઇન રોડ પર સિંધાવદર ગામ નજીક આસોઇ નદી પરનો પુલ ડેમેજ થયો હોય, જે અંગે ચક્રવાત ન્યુઝ દ્વારા સૌપ્રથમ લાઇવ કવરેજ સાથે તંત્રની આંખ ઉઘાડતો અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ તાત્કાલિક પુલ પરથી વાહનોની અવરજવર બંધ કરી ગાબડું પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોય, જે પૂર્ણતાના આરે પહોંચતા વાહનવ્યવહાર શરૂ કરતાં પહેલાં અધિકારીઓએ પુલનું નિચેથી નિરીક્ષણ કરતાં ભોપારૂ સર્જાતા પુલની નીચે ગડરો પણ વધારે ડેમેજ હોય જેનું રીપેરીંગ કામ કરવું પડે તેમ હોવાથી હજુ લાંબો સમય પુલની મરામત કામગીરી ચાલે તેમ હોવાથી અંતે ખખડધજ હાલતમાં ફેરવાયેલ કામચલાઉ ડાયવર્ઝનમાં તંત્ર દ્વારા ડામર પાથરી પેચવર્ક કરી ફરી ગાડુ ગબડાવે તેવી કામગીરી કરી છે….

    સિંધાવદર પાસેના આસોઈ નદી પરનો આ પુલ આમ તો લાંબા સમયથી ખખડધજ બની ગયો છે, પરંતુ છતાં તંત્રને તે દેખાતું ન હોય તેમ અવારનવાર પુલમાં થિગડા મારી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં આ પુલમાં ચારથી વધારે વખત સમારકામ કરવામાં આવ્યું છે, છતાં હજુ તંત્ર અહી સમારકામમાં જ લાગેલું છે…

    આ બાબતે માહિતી આપતા ડેપ્યુટી ઈજનેર સંદીપ કડિવારે જણાવ્યું હતું કે, પુલની સ્થિતિ જોતાં ભારે વાહનોને આ પુલ પરથી પસાર થવા દેવામાં નહિ આવે, માત્ર નાના વાહનો માટે પુલ ખુલ્લો મુકવામાં આવશે. તેમજ પુલની જર્જરિત હાલત જોઈ હાલ તાબડતોડ ડાઈવર્જન માટે નો રસ્તાને તાત્કાલિક અસરથી રીપેરીંગ કરવામાં આવ્યો છે. હવે આખા પુલનો સર્વે કરી બાદમાં જ નિર્ણય લેવામાં આવશે ત્યાં સુધી ભારે વાહનોને ડાઈવર્જનમાંથી ચલાવવા જરૂરી છે. ત્યારે થીગડાં મારીને ચલાવવામાં ક્યારેક જીવલેણ અકસ્માત થવાની શક્યતા નકારી શકાય નહીં. આ ડેમેજ પુલ પર રીપેરીંગ બાદ વાહનો માટે ખુલ્લો મુકવામાં આવે અને જો કોઈ અઘટિત દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ ?

    નવો પુલ બનાવવા રાજ્ય સરકારે તેર કરોડની રકમ ફાળવી છતાં જુના પુલમાં થિગડા મારી કેમ ચલાવવામાં આવે છે ?

    અત્રે ઉલ્લેખનીય છે કે, ચક્રવાત ન્યુઝના 05 ઓક્ટોબર, 2024 ના રોજના આ પુલ બાબતે મિડિયા અહેવાલો બાદ રાજ્ય સરકાર દ્વારા અહીં નવા પુલના નિર્માણ માટે નવેમ્બર-24 માં તેર કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી હોવા છતાં બાબતે હજુ અહીં નવો પુલ બનાવવાની કામગીરી કેમ શરૂ કરવામાં આવતી નથી ? તે પ્રશ્ન જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!