Wednesday, October 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા વિકાસ અધિકારીની ખાલી પડેલ જગ્યા પર અંજારથી પાયલબેન ચૌધરીની નિમણૂક...

    વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીની ખાલી પડેલ જગ્યા પર અંજારથી પાયલબેન ચૌધરીની નિમણૂક કરાઇ….

    ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ સંવર્ગમાં ફરજ બજાવતા 27 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી હિતને ધ્યાનમાં રાખીને સોમવાર સાંજે બદલી કરવામાં આવી છે, જેમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી(ટીડીઓ)ની ખાલી પડેલ જગ્યા પર અંજારથી પાયલબેન ભરતભાઈ ચૌધરીની બદલી સાથે નિમણૂક કરવામાં આવી છે….

    આ સાથે જ મોરબી જિલ્લામાં મોરબીના તાલુકા વિકાસ અધિકારી પીઠા સામત ડાંગરની જેતપુર ખાતે તેમજ જેતપુરના તાલુકા વિકાસ અધિકારી જયદીપ પ્રવીણભાઈ વણપરિયાને મોરબી તાલુકા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. રાજ્ય સરકારની આ બદલી બાદ સંબંધિત નિયંત્રણ અધિકારીઓએ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક ફરજમુક્ત કરીને નવી જગ્યાએ હાજર કરાવવા કાર્યવાહી કરવા આદેશ અપાયા છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!