
વાંકાનેર તાલુકામાં છેવાડાના ગામો સુધી નર્મદાના નીર પહોંચાડવા માટે “સૌની યોજના” (લિંક-૩, પેકેજ-૩) અંતર્ગત પાઇપલાઇન દ્વારા તળાવો અને ચેકડેમો ભરવાના કામનું ખાતમુહૂર્ત વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોના સરપંચો , સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….
આ યોજનાથી ચાંચડીયા, શેખરડી, રાતડીયા, કાનપર, મહિકા અને સરોડી ગામના વિવિધ તળાવો અને ચેકડેમોને નર્મદાના નીરથી ભરવામાં આવશે, જેનાથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો અને પીવાના પાણીનો મોટો લાભ મળશે. આ પ્રસંગે જિજ્ઞાસાબેન મેરે રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, ત્રિવેણી-ઠાંગા સિંચાઈ યોજના હેઠળ મેસરીયા મહાલના વધુ સાત ગામોના તળાવોને પણ નર્મદા નીરથી ભરવાના કામને પણ મંજૂરી મળી ગઈ છે. અંતમાં તેમણે વર્ષોથી પાણીની અછત ભોગવતા આ વિસ્તારના લોકોને જળ સંચયને જીવનનું અભિન્ન અંગ બનાવવા અપીલ કરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





