Wednesday, November 5, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં હંગામી ધોરણે સ્ટાફની ભરતી કરાશે....

    વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં હંગામી ધોરણે સ્ટાફની ભરતી કરાશે….

    વાંકાનેર તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ખાલી પડેલ ૦૯ સંચાલક, ૧૨ રસોઈયા તથા ૧૨ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની હોય, જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ મધ્યાહન ભોજન શાખા, વાંકાનેર તાલુકા મામલતદારશ્રીની કચેરીએથી અરજી ફોર્મ મેળવી ૧૪-૧૧-૨૦૨૫ સુધીમાં જમા કરાવવાના રહેશે. આ અરજી અન્વયે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે ઉમેદવારે વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીએ સ્વખર્ચે રજુ થવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે વાંકાનેર તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાં સંપર્ક કરવા વાંકાનેર મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!