Thursday, July 17, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે પુર્વ સાંસદ લલિતભાઈ મહેતાની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ, ફ્રી...

    વાંકાનેર ખાતે પુર્વ સાંસદ લલિતભાઈ મહેતાની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ, ફ્રી નિદાન કેમ્પ અને રાહત દરે ફૂલ બોડી ચેકઅપ કેમ્પ યોજાયો…..

    વાંકાનેર શિક્ષણ ક્ષેત્રના ભામાશા અને રાજ્ય સભાના પૂર્વ સાંસદ સ્વ. લલીતભાઈ મહેતાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જવલ અમૃત ચેરીટેબલ ફાઉન્ડેશન, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, વિદ્યાભારતી અને યુવા સંગઠ્ઠના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ શહેરના બંધુસમાજ દવાખાના ખાતે રક્તદાન કેમ્પ, ફ્રી નિદાન કેમ્પ અને રાહત દરેક ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેનો બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો….

    આજરોજ યોજાયેલ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં કુલ 90 જેટલા રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી, જ્યારે 200 થી વધુ દર્દીઓએ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા ફુલ બોડી ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. આ તકે સંસ્થા વતી કલ્પેન્દુભાઈ મહેતા, અમરશીભાઈ મઢવી, વિનુભાઈ રૂપારેલિયા, પુષ્કરભાઈ, શૈલેષભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!