Monday, June 2, 2025
More
    Homeમુખ્ય સમાચારગતરાત્રીના વાંકાનેર પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે જનજીવન પ્રભાવિત, તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની...

    ગતરાત્રીના વાંકાનેર પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે જનજીવન પ્રભાવિત, તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી‌‌….

    ઠેર-ઠેર નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, વિજપોલ નમી જવા, વૃક્ષો ધરાશયી થવા સહિતની સમસ્યાથી નાગરિકો હેરાનપરેશાન…

    વાંકાનેર પંથકમાં ગતરાત્રિના પડેલા ભારે પવન સાથેના કમોસમી વરસાદના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોય, જેમાં વાંકાનેર શહેરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા, વૃક્ષ ધરાશયી થવા, રોડ-રસ્તા બંધ થવા, વીજપોલ નમી જવા અને વિજળી ગુલ થવા સહિતની સમસ્યાના કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવી પડતા જવાબદાર તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી પડી છે…..

    અત્રે ઉલ્લેખની છે કે, વાંકાનેર શહેરના વિસીપરા વિસ્તારમાં દર વર્ષે ચોમાસાની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી સાથે મોટી નુકસાની ભોગવી પડતી હોય, છતાં જવાબદાર તંત્ર દ્વારા આ મામલે કોઈપણ પ્રકારની પ્રિ મોન્સૂન કામગીરી કે પાણી નિકાલની કોઇ યોગ્ય વ્યવસ્થા ન કરાતાં વર્તમાન કમોસમી વરસાદમાં જ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોય, ત્યારે ચોમાસામાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે વિચારવી ઘટે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!