Thursday, March 13, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની દોશી કોલેજ દ્વારા પોલીસની લેખિત પરીક્ષા લક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું...

    વાંકાનેરની દોશી કોલેજ દ્વારા પોલીસની લેખિત પરીક્ષા લક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું…

    વાંકાનેરની દોશી કોલેજ દ્વારા તાજેતરમાં પોલીસ ભરતી માટે કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ શારીરિક કસોટી પાસ કરી હોય, તેવા ૩૨ વિદ્યાર્થીઓ માટે પરિક્ષા લક્ષી માર્ગદર્શન માટે ખાસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમજ પ્રોગ્રામનું સંચાલન ડૉ. અર્ચનાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું…

    મુખ્ય માર્ગદર્શક તરીકે ડૉ. એચ. એમ. ચંદારાણા સાહેબે પોલીસ પરીક્ષાના માળખા વિશે તેમજ પરીક્ષાની તૈયારી કરતી વખતે કઈ નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ તે અંગે તેમજ ડૉ. શૈલેષભાઈ લાવડીયા દ્વારા પરીક્ષામાં મૂંઝવતા પ્રશ્નો અને ઇતિહાસને લગતા પ્રશ્નોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારની જહેમત ડૉ. યોગેશ ચાવડા દ્વારા ઉઠાવી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!